View Hymn (Bhajan)

Hymn No. 3253 | Date: 17-Feb-19991999-02-17મારાપણામાંથી જે જાગ્યા ભાવો, એ તો બધા ભૂંસાઈ ગયાhttps://mydivinelove.org/bhajan/default.aspx?title=marapanamanthi-je-jagya-bhavo-e-to-badha-bhunsai-gayaમારાપણામાંથી જે જાગ્યા ભાવો, એ તો બધા ભૂંસાઈ ગયા,

તારી કૃપાથી જે પામ્યા ભાવો, એ તો અખંડ રહી ગયા,

લખાઈ ગયા એ તો દિલો પર, ના એને કોઈ ભૂંસી શક્યા,

હું હું ના નાદ જગાવ્યા સહુએ, પણ એ તો ભૂંસાઈ ગયા,

ના કર્યા કોઈએ રાવણના વચનોને યાદ જીવનમાં,

ગીતાનું અમૃત તો આજ પણ સહુ પીતા રહ્યાં,

પરમ જ્ઞાન ને પરમ ભાન તો, સદા એવા ને એવા રહ્યાં,

ના ભૂલ્યા એ ભુલાયા, ના કોઈ એને ભૂંસી શક્યા,

અહંકારના નાદમાં જે ખોવાયા, જીવનમાં એ ભૂંસાઈ ગયા,

અમર અસ્તિત્વના તત્ત્વ રહ્યાં અમર, ના એને કોઈ ભૂંસી શક્યા.

મારાપણામાંથી જે જાગ્યા ભાવો, એ તો બધા ભૂંસાઈ ગયા

View Original
Increase Font Decrease Font

 
મારાપણામાંથી જે જાગ્યા ભાવો, એ તો બધા ભૂંસાઈ ગયા,

તારી કૃપાથી જે પામ્યા ભાવો, એ તો અખંડ રહી ગયા,

લખાઈ ગયા એ તો દિલો પર, ના એને કોઈ ભૂંસી શક્યા,

હું હું ના નાદ જગાવ્યા સહુએ, પણ એ તો ભૂંસાઈ ગયા,

ના કર્યા કોઈએ રાવણના વચનોને યાદ જીવનમાં,

ગીતાનું અમૃત તો આજ પણ સહુ પીતા રહ્યાં,

પરમ જ્ઞાન ને પરમ ભાન તો, સદા એવા ને એવા રહ્યાં,

ના ભૂલ્યા એ ભુલાયા, ના કોઈ એને ભૂંસી શક્યા,

અહંકારના નાદમાં જે ખોવાયા, જીવનમાં એ ભૂંસાઈ ગયા,

અમર અસ્તિત્વના તત્ત્વ રહ્યાં અમર, ના એને કોઈ ભૂંસી શક્યા.



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


mārāpaṇāmāṁthī jē jāgyā bhāvō, ē tō badhā bhūṁsāī gayā,

tārī kr̥pāthī jē pāmyā bhāvō, ē tō akhaṁḍa rahī gayā,

lakhāī gayā ē tō dilō para, nā ēnē kōī bhūṁsī śakyā,

huṁ huṁ nā nāda jagāvyā sahuē, paṇa ē tō bhūṁsāī gayā,

nā karyā kōīē rāvaṇanā vacanōnē yāda jīvanamāṁ,

gītānuṁ amr̥ta tō āja paṇa sahu pītā rahyāṁ,

parama jñāna nē parama bhāna tō, sadā ēvā nē ēvā rahyāṁ,

nā bhūlyā ē bhulāyā, nā kōī ēnē bhūṁsī śakyā,

ahaṁkāranā nādamāṁ jē khōvāyā, jīvanamāṁ ē bhūṁsāī gayā,

amara astitvanā tattva rahyāṁ amara, nā ēnē kōī bhūṁsī śakyā.